શું કામ ….????????
October 23, 2011 at 6:49 am | Posted in ભરત દેસાઇ ' સ્પંદન ', મને ગમતા કવિઓ અને સાહિત્યકારો, મારી ગઝલો.. | 3 CommentsTags: ગઝલ, ગુજરાતી સાહિત્ય, ભરત દેસાઇ ' સ્પંદન ', મુશાયરો, રાજેશ વ્યાસ 'મિસ્કીન', શાયરી
મિત્રો, થોડા વખત પહેલા ડૉ. રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ શિકાગો આવેલા ત્યારે રાજેશભાઇને જરા વધારે નજીકથી જાણવાની જીજ્ઞાસા સાથે એક સવારે કોફીના પીવાના બહાને હું અને મારો મિત્ર નિલેશ એમના મુકામે પહોંચી ગયા હતા. ગઝલ- સાહિત્ય બાબતે વાતો કરતા બે અઢી કલાકની ચર્ચાના અંતે મને અંગત રીતે મિસ્કિન સાહેબ એક ગઝલકાર ની સાથે સાથે એક ઉંડા તત્વચિંતક વધારે લાગ્યા.આધ્યાત્મિક પ્રભાવનો પડછયો એમની ગઝલોમા અને વાતોમા સાફ નીતરતો હતો. ગઝલ બાબતે વાતો પર ભાર મૂકતા કહ્યુ કે “ગઝલએ કેવળ શબ્દોના સમૂહ કે પછી છંદ-મીટર અને રદિફ કાફિયાના સ્ટ્ર્ક્ચરથી સંપૂર્ણ નથી પણ આ તમામ વાતો ની સાથે જીવનના મર્મની કોઇ ગહન વાતો ગઝલમા આવે ત્યારે ગઝલનુ તત્વ અને સત્વ સાર્થક થાય અને તો જ શબ્દોની ખૂબસૂરતી માણવાની ગમે બાકી તો એ જ ક્ક્કો અને બારાખડી છે.. આધુનિક ગઝલના નામે કંઇ પણ લખાય છે, તંત્રી અને મંત્રીની રહેનુમા છપાય પણ છે. અને બાકી રહ્યુ તે નેટનું માધ્યમ હાથવગુ છે.સૌ ને માટે ઘરની ખેતી જેવું છે …જે વાવ્યુ અને જે પાક્યુ તે …પોતાનો બ્લોગ હોય એનો મતલબ એ નથી કે કાંઇપણ જાતના સાહિત્યિક ચિંતન વગર સામગ્રી પ્રકાશિત કરવી..! ” મિત્રો રાજેશભાઇની પ્રભાવશાળી વાતો સાંભળતા દંગ રહી ગયો .. અને કદાચ નૈનિકતાનો મહંદઅંશે સ્વીકાર મારે પણ કરવો પડે.. રાજેશભાઇથી છૂટા પડ્યા પછી એક વિચાર મનમા સળવળ્યો …તમને ચોક્કસ એ વિચાર જાણવાની ઇંતેજારી થશે જ અને.. મારે પણ તમને તરત એ વાત કહી દેવાની ” શું કામ…… ??????? ”
ગઝલ……
આપણી વાતો ગઝલમાં કે’વાની..! શું કામ..?
જાતને પોતે ઉઘાડી કરવાની..! શું કામ..?
આડકતરો છે ઇશારો એનો મારી પર જ..!
કોઇ મોઘમ વાત માથે લેવાની..! શું કામ..?
લાગણીઓના વિષય કે વ્યાખ્યા ના હોય..!
દિલ્લગી મારે તને સમજા’વાની..! શું કામ..?
પરવળે જો આબરૂને તો… કર ફાવે તેમ
આ ’ઇચ્છાઓ’ ને દબાવી દેવાની..! શું કામ..?
હેસિયત નૈ પણ અપેક્ષા લોકોની..? ભૈ વાહ..!
આપણે ‘સ્પંદન’ સલામો ભરવાની..! શું કામ..?
3 Comments »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a Reply
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.


ભરતભાઈ સરસ ગઝલ અને રાજેશભાઈ પાસે ગ્યા તો મને કેમ ના જણાવ્યું હું પણ આવત ને?પણ હા તમે બોલાવો નહી તો હું આવું શું કામ?
સપના
Comment by sapana— October 23, 2011 #
આદરણીય શ્રી
આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.
નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી
દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા
Comment by પરાર્થે સમર્પણ— October 25, 2011 #
ખૂબ સરસ ગઝલ. અભિનંદન.
Comment by Heena Parekh— November 1, 2011 #