પૂછવાનું નૈ… કૃષ્ણ દવે
July 25, 2011 at 4:21 am | Posted in મને ગમતા કવિઓ અને સાહિત્યકારો | 1 CommentTags: કૃષ્ણ દવે, ગીત, ગુજરાતી સાહિત્ય, મુશાયરો
મિત્રો, ગુજરાતી મુશાયરાના મંચ પર જેમણે એક અલગ ચીલો ચાતર્યો છે… સાહિત્યની ઊંડાઇ અને ગહન વાતોને બદલાતા જમાનાની તાસીરને અનુરૂપ Sugarcoat કરીને સમાજ અને નવી પેઢી સમજે .. એનું ચિંતન કરે .. અને આપણા સંસ્કારો, આપણી સભ્યતા અને આપણી ખુદ્દારીનું મનોવિજ્ઞાન લોકભોગ્ય બને એજ હેતુસર જેમણે પોતાની સર્જનપ્રવૃતિને વારંવાર ચાકળે ચાઢાવીને ઘાટ આપ્યો છે અને એક સુંદર સર્જન સમાજને આપવાનો સતત પ્રમાણિક પ્રયત્ન કર્યો છે …. હું વાત કરું છું એવા એક સર્જકની .. જેમણે રિઝર્વબેંકની crispy ચલણી નોટો ગણતા ગણતા પણ ( વ્યવસાયિક રીતે રિઝર્વબેંક ના Cashier તરીકે છેલ્લા 29 વરસથી અમદાવાદમા સેવા આપી રહ્યા છે)સાહિત્ય અને કવિતાના વિચારો સ્ફુરે… ને …ત્યારે મિત્રો.. મારે, તમારે અને બધાએ… સંત્રી બની સાદ આપવો પડે…….. સાવધાન……. ખબરદાર……. બામુલાહિજા …….. હોંશિયાર……… આપ સૌના મનોરંજન માટે…….. ખુદના નિજાનંદ માટે……. મુશાયરાના મંચની શોભા.. એવા કવિ અને ગીતકાર માનનીય શ્રી. કૃષ્ણ દવે … પધારી રહ્યા છે….છે એ….એ…..એ…
કૃષ્ણ દવે
ગીત ….
ઉગાડે એમ કદી ઉગવાનું નહીં,
આપણે તો આવળને બાવળની જાત.
ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં!
ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન
નિંરાતે બેસી જે ભરચક પીવેને એને.. પાલવે આ લીલા.. ગુમાન
રોકે કદાચ…. કોઇ ટોકે કદાચ
તોયે મહેફિલથી કોઇ દિવસ ઉઠવાનું નહીં !
ઉગવાનું હોય…….
આપણેતો એણી એ સમજણ શું રાખવાની, મસ્તીમાં ખરવું કે ફાલવું ?
આપણાતો લીલાછંમ્ લોહીમા લખેલું છે ગમ્મેતે મૌસમમા મ્હાલવું
હસવું જો આવે તો હસવું બેફામ
અને આંસુ જો આવે તો લુંછવાનું નહીં!
ઉગવાનું હોય…….
ઉંડે ને ઉંડે જઇ .. બીજુ શું કરવાનું ?ધરવાનું આપણું જ ધ્યાન
પથ્થરને માટીના ભૂંસી ભૂંસી ને ભેદ કરવાનું લીલું તોફાન
દેખાડે આમ.. કોઇ દેખાડે તેમ ..
તો ય ધાર્યુ નિશાન કદી ચૂકવાનું નહીં!
ઉગવાનું હોય…….
(વિડીયો સૌજન્ય: શિકાગો આર્ટ સર્કલના ભંડોળ માંથી)
1 Comment »
RSS feed for comments on this post. TrackBack URI
Leave a Reply
Blog at WordPress.com. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.
All time gret…….
Comment by bhavesh bhatt— July 25, 2011 #