આપણું તો.. એવુ

CASJI5NGCAWX0DNRCA6HB4URCAB5VX5QCAVDC6M9CAJ1T6EWCAT2AJY6CAWCHURRCAKDWYQBCAH27RA8CA2RDKEVCA36NCGFCARJVNSKCAZ5XEN2CATG3995CAPI30W0CAE1ZAPACATMEZ8ICAXL9I5O       

 મિત્રો,   દિપાવલીની   શુભકામનાઓ સાથે  આપસૌનુ બ્લોગ પર ફરી એકવાર  સ્વાગત કરુ છું ..તહેવારોની રાણી દિવાળી અને ગુજરાતી પરંપરા મુજબના નવા બેસતાવર્ષે   આવો    હું… તમે   અને  આપણે….  બધાજ  ભેગામળીને   પરમકૃપાળુ પરમાત્મા અને વિદ્યા, વાણી ને વર્તનની દેવી  મા  સરસ્વતી ને   યાદ કરીને  સાથે ગાઇએ…અને  ગવાયેલા શબ્દો  અક્ષરસહ સાચા પડે  એ માટે   પ્રભુને  હ્યદયપૂર્વક  વિનંતી   કરીએ … અને …. અને….. અને.. .. આપણે નિષ્ઠાવાન પ્રયાસો… 

CA0HPCITCAOG62DPCAFOGZ4FCA9Y4GXSCA2EZYN1CAPR4B8SCARBH2QBCAY3SQJUCAK8W74GCA9IEQQUCACHZJMZCA6647IXCAC5FS5TCA74RRWXCAX0OP06CA2GC0F9CA29YB3UCA2KZGMVCAH0K9T1

—–હે માલિક

        તેરે બંદે હમ  ઐસે હો હમારે કરમ  

        નેકી પરચલે ….  ઔર     બદી  સે    ડરેં……

                                   તાકિ     હંસતે    હુએ     નીકલે    દમ ……..

—–ઇતની શકિત  હમે  દેના દાતા 

        મનકા વિશ્વાસ કમજોર હોના

       હમ ચલે નેક રસ્તેપે હમસે 

       ભૂલકરભી કોઇ ભૂલ હોના……..

—–અલ્લાહ તેરો નામ ઇશ્વ્રર તેરો નામ..

        સબકો સનમતિ  દે  ભગવાન…….

 

                                              મિત્રો,  ઉપરની પંક્તિઓ વરસો જુની છે, એવુ શક્યજ નથીકે કોઇ  હિન્દુસ્તાની આ પ્રાર્થનાગીતોથી અપરિચિત હોય …  હું તમે ને આપણે બધા વરસોથી સંભળતા આવ્યાછે અને વરસો સુધી સાંભળવાના પણ  છે જ .. પણ  વાત ને  ઘસીટીપી લાંબી એટલા માટે કરુછું કે આ ઘડીએ    આપસૌને  વાંચતા વાંચતા પણ  એક ક્ષણ પૂરતી પણ જો માનસિક  અને આંતરિક શાંતિ  મળે તો પણ આ ગીતોની આત્યારે  તમને    યાદ અપાવી ને  હું મારી જાતને   ધન્ય  ગણીશ.  કદાચ મારા વિચારો   સામે   તમરા મનમા  સવાલો ઉઠે  સ્વાભાવિક છે……. પણ  શું   કરું… બસ  એટલું જ  કહીશ…

 

 

             આપણુંતો…….એવુ

   CAC1V8EACAAZ1MPUCASPQJFCCACY4NFWCAKR4UUBCABJH67YCAIRPGQ4CAUBCDEGCAP8Y62YCA0V6FUNCAITF92XCASZ46XLCA1NMOOPCA0FXDR1CAOZ8M86CAZQNP27CAE7I89MCAC2ZIRGCAY30XFS

 

 

 

 

                    મન    ને     ગમે   તે   ખરું   આપણુંતો……એવુ

                    દિલ   જે    કહે    એ    કરું    આપણુંતો……એવુ

                    મારી  શરત એટલી..  પ્રેમ થી  બોલો   તો !

                    મસ્તક     ચરણે      ધરું       આપણુંતો……એવુ

                    તારું    રિસાવું    સહજ    છે અને   આદત  પણ

                    હું     ક્યાં    સુધી    કરગરું     આપણુંતો……એવુ

                    મે’માન     યજમાન    ના   ભેદ   ના  સમજાવો

                    માગ્યું     કદી  નોંતરું ?     આપણુંતો…… એવુ

                    આ    જિંદગી     ભાર    જેવી    હશે છંતા  પણ

                    મરવાનુ     કો’    તો   ડરું    આપણુંતો……એવુ

                    પ્રયત્ન તો  બહુ કર્યા પણ અસર ના થૈ.. તો

                    ઇશ્વર     કરે     તે      ખરું     આપણુંતો……એવુ

                    ખાલીપણું     હદ     વટાવી      ગયું છે ‘સ્પંદન’

                    તું     જે    કહે     તે     ભરું     આપણુંતો……એવુ 

   

 વિચાર બીજ  :  પ્રસિધ્ધ લેખક અને નાટ્યકાર શ્રી મધુરાયના નાટકના શીર્ષક ઉપરથી 

  

4 comments October 11, 2009

બનવાજોગ છે……

           મિત્રો,  સાવ નવીનક્કોર  ગઇકાલે જ  લખાયેલી…કદાચ  લખાયેલી એમ કહું  એના  કરતા એમ કહું કે ગઇકાલે પૂરી થયેલી  ગઝલ આપની  આગળ રજુ કરું. ગઝલના  બધા  શેર  પંદર થી વીસ દિવસના  ગાળામા  ત્રણ  ચાર દિવસોના સમયાતંરે લખાયેલા છે પરંતુ મત્લાના શેરનો  શાનીમિશ્રા બાબતે વિચાર કરતા સારોએવો  સમય  લાગ્યો.. કારણકે  કોઇ વિચાર ગઝલના  માળખામા મને સંતોષ થાય એ રીતે  ફીટ બેસતો ન હતો.. ને ગઇકાલે  અચાનક  થયુ એવું  ………..છોડો ને  યાર…….. ગઝલની  મજા કરો ને………. 

   CAH1O46HCARSIC1QCAML69IQCAY8Q6YXCAUWP1WWCAUWFZVHCAURYTF4CAQ4RFNRCA6G8T0QCAB5JL57CAH8EP7YCAY5MFY9CACNIYWACAFEQKUBCAXZZEJ4CA1C126PCABTQVQ3CA2OCDEHCA45SQVE

 

                             ગઝલ

 

 

               અટકળો    સાવ     ખોટી  પડે  બનવાજોગ  છે

              બસ !  નજર કોઇ ઘાયલ  કરે બનવાજોગ છે  

 

               લે   હવે    એકપણ   શબ્દ   બોલું  તો   કે’મને  

              મૌન    મારું    સતાવે    તને   બનવાજોગ છે  

 

              વાત  માં  તથ્ય  કૈ  નોં’તુ  ના હતુ પ્રમાણ કૈ

               લોક   ચર્ચા   કરે       ચોતરે     બનવાજોગ છે   

 

               એ..   હવે  કોઇ  સામે    દલીલો   કરતા નથી

               એમની   ભૂલ  સમજ્યા  હશે  બનવાજોગ છે

 

              ચાર  શબ્દો લખી જાતને  ગાલિબ ના  સમજ

              રોજ  ‘સ્પંદન’  નવા અવતરે    બનવાજોગ છે

8 comments July 27, 2009

સર્જકો સાથે….

                    મિત્રો,  ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા  ના ઉપક્રમે     જુલાઈ ૧૧ ૨૦૦૯ને શનિવારે એડીસન, ન્યૂજર્સી ખાતે ટીવી એશિયા ચેનલના ઓડીટોરીયમમાં સર્જકો સાથે સંધ્યાનો એક કાર્યક્રમ યોજાયો. ડો. મણીલાલ હ. પટેલ એમાં અતિથિવિશેષ હતા.કાર્યક્રમનું સંચાલન  હાસ્ય લેખક માનનીય હરનીશભાઈ જાની એ  સંભાળ્યું હતું.કુલ ૨૦ જેટલા સર્જકોએ પોતાની કૃતિ (ગદ્ય કે પદ્ય)રજુ કરી હતી.આ કાર્યક્રમમા   હરનીશભાઇના  આમંત્રણ ની બદૌલત મને પણ  અવસર મળ્યો સર્જકોને સાંભળવાનો  અને   મારી કૃતિ  રજુકરવાનો. હરનીશભાઇ એમના  રમુજી સ્વભાવના કારણે જાણીતા  છે જ પરંતુ એજ રમુજને  ખૂબ સહજતાથી  વાતોમા લાવીને   લોકભોગ્ય બનાવવાની હ્યુમર  દાદ માગીલે તેવી છે. આ  કાર્યક્રમનુ  વિડીયો  રેકોડિંગ  ચિરાગ પટેલે કર્યુ છે. અહીં  મારી વિડીયોની લીંક  મૂકી છે પરંતુ સાથે સાથે ડો.મણીલાલ  અને  સૂચીબેન  વ્યાસ ની વિડીયો ક્લીપને તમારા સુધી પહોંચાડવા ની  માનસિકતાને  ન રોકી ના  શક્યો આમેય વતન કે ગામ બાબતે હું થોડો  વધારે પક્ષપાતી રહ્યો છું (દરેકને પોતાના વતન કે ગામ બાબતે લગાવ હોય જ… પણ  મને જરા……જવાદો  એ બાબતે   ફરી વાત કરીશું)ડો. મણીભાઇ નુ  પદ્ય અને સૂચીબેન નું ગદ્ય   ખૂબ હ્યદયસ્પર્શી   રહ્યા. આ આખાય કાર્યક્રમની  સંપૂણ વિડીયો મને આપવા બદલ ચિરાગ પટેલનો આભાર. 

 

મારી રજૂઆત 

 http://www.youtube.com/watch?v=710VLUSflhk

 

   ડો.મણીલાલ  હ. પટેલ   { માત્ર  કાવ્ય } 

  http://www.youtube.com/watch?v=Y0TlgNm6gug 

 

સૂચીબેન વ્યાસ  { ગદ્ય } 

 http://www.youtube.com/watch?v=UtE8U7eHoys 

 

 

હરનીશ જાની +   હ્યુમર +  હાસ્ય +   હળવાશ =  હું, તમે  ને  આપણે 

 http://www.youtube.com/watch?v=LLoY_AI8KdQ

http://www.youtube.com/watch?v=U2BTvsGOqBc 

http://www.youtube.com/watch?v=nPazR6pPL-c  

http://www.youtube.com/watch?v=xL5JUuAVbsU 

http://www.youtube.com/watch?v=PBntcDNYjVM  

http://www.youtube.com/watch?v=sZZgxUSwZMo 

http://www.youtube.com/watch?v=1tHM_grOsds

 

આખા કાર્યક્રમની વિડીયો જોવા  અંહી ક્લીક કરો    

http://rutmandal.info/parimiti/2009/07/16/sarjako_sandhya/

 

 

 

3 comments July 26, 2009

ગઝલ… ભરત ભટ્ટ ‘પવન’

             મિત્રો,   ગઝલકાર  અને  કવિમિત્ર  ભરત ભટ્ટ ’પવન’    આંગળીના વેઢે ગણી શકાય એવા કવિમિત્રો પૈકીનો સદાબહાર  ને કાયમ  હસતા ચહેરાની  મોટી મિલ્કત ધરાવતો    બિંદાસ  પ્રકૃતિ   વાળો    કલમ આશ્રિત સર્જક છે.  ગઝલથી લઇ ટી.વી. સિરિયલો તથા ફિલ્મોના  સંવાદ લખવાની સફર એ કરી ચૂક્યો છે પરંતુ  ગઝલપ્રીતિ  બીજી સર્જનકલા પર હાવી છે એટલું જ નહીં પણ ગઝલમાં એ પોતાની આગવી છાપ ઊભી કરી શક્યો છે.   તો આવો મિત્રો ભરત ભટ્ટ’પવન’  ની ગઝલ માનીયે……..    

       

                                  ગઝલ  

 

                                દ્રશ્ય  આ  આંખથી  ખમાતું નથી  

                                તાપણું…… કેમ  ઓલવાતું નથી  

 

                                લાગણી, ભાવના, તડપ એ  બધું

                                એમના  પત્રમાં     જણાતું   નથી  

 

                                કાલની વાતની  અસર   સાંભળો  

                                કાલથી  સહેજ પણ  હસાતું નથી  

 

                                જો   રડો   તો   સૂકી ધરામાં રડો  

                                ક્યાંય   ખાબોચિયું   ભરાતું  નથી  

 

                                તું કહે  તો  કદાચ  આવીશ  પણ  

                                દોસ્ત  ટેકા  વગર   ચલાતું  નથી   

 

                                કંઇ   સમસ્યા   નથી   અગાશીમાં  

                                બહુ ‘પવન’છે તેથી જવાતું નથી   

 

ભરત ભટ્ટ  ‘પવન’

મો.  ૯૯૯૮૫૬૯૧૧૯

લખાણ: ગુલામ અબ્બાસ ‘નાશાદ’ ના 

ગઝલ રસાસ્વાદ ‘આચમન’   માંથી 

   

3 comments July 22, 2009

શ્રાવણિયો જુગાર…મનહર ગોહિલ ‘સુમન’

      મિત્રો, જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ… બેસતા   શ્રવાણને  વધાવતા ઇશ્વ્રરમા   અથાગ શ્રધ્ધા ધરાવનારો જીવ  ભગવાન  શ્રીકૃષ્ણની  અલૌકિક લીલા ને યાદ કરે ને જાતને  નિજાનંદની મસ્તીમા તરબોળ કરી દે…..  પણ ….પણ … સિક્કાની બીજી બાજુ સમાન મારા જેવા   [કર્મયોગી] ની  વાત જવાદો……..  છેલ્લા ઘણા વરસોથી   કૃષ્ણની   જન્માષ્ટમી પૂરી થાય  ને છે….ક…..  મહિનાઓ સુધી હું  આ  ગઝલની  પંક્તિઓ  ને   સતત  મિત્રો આગળ   ગુનગુનાવ્યા કરુ…[સિક્કાની બીજી બાજુ જેવો  હું થોડો ઘણો ખરો]   અને  હજી અહીં અમેરિકામા આવ્યા પછી  પણ એમ લાગે કે  કદાચ આ  ગઝલ    મારા  ગઝલકાર મિત્ર મનહર ગોહિલ  સુમને   મારા માટે તો નથી લખી ને ?…  વધારે કશું કહ્યા વગર   મનહર ગોહિલ  ‘સુમન’ ની  એક  ગઝલ આપની  આગળ  આજે  મૂકવા જઇ રહ્યો છું ….  સુમનની   વાતો નો ઉલ્લેખ  હું મારા    સાહિત્યની સફર નામના  લેખમા   કરી ચુક્યો છું વ્યંગ ની સાથે સાથે   જિંદગીના મર્મની  ગહન વાતો   ને  સાવ સરળતાથી   રજુ કરનાર   કવિમિત્ર મનહર ગોહિલ ‘સુમન’ ને   દાદ આપવી પડે….. 

   

hand%20holding%20cards

                                    ગઝલ….

 

                    એક   બાજી   જીતવા     બાજી     ઘણી  હારી  ગયો 

                    ના મળે કિસ્મત  વગર  એ વાત હું  માની  ગયો 

 

                    હાથતાળી   દઇ  જતી  એ     લાલની    રાની   મને 

                    સર વગર બે  બાદ’શા નો દાવ પણ  ખાલી ગયો 

 

                    બંધ  બાજી  પર   હતો   વિશ્વાસ    મારો   આંધળો 

                    એક     પત્તુ   જોઇ    મોટી   ચાલ  એ   ચાલી  ગયો 

 

                    ચાલ   મોટી   ચાલવામા   જીત  પણ  એની  થતી 

                    સાવ   ખોટી  ચાલ  પર   મેદાન  એ  મારી  ગયો 

 

                    તું  ભલે   બેઠક  બદલ    તકદીર ક્યાં બદલાય છે?  

                    જીતવા    લક્ષ્મી  ગયો   ને  જીદંગી    હારી  ગયો  

 

 મનહર  ગોહિલ  ‘સુમન’ 

મો.     ૯૨૭૬૮૩૨૩૭૪

 

2 comments July 22, 2009

છે..તો..છે.. ડો.રશીદ મીર

         મિત્રો, ફરી એકવાર  ‘મને ગમતી ગઝલો’ અંતર્ગત આજે એક એવુ નામ…એક એવા શાયરનુ નામ … જેમને   ગઝલ ને માત્ર કાગળ ને કલમ ના સહારે  નથી લખી પરંતુ ગઝલના મૂળ સુધી પહોંચી ને માત્ર ગઝલ  પર   પી.એચ.ડી. ની ડીગ્રી મેળવેલી છે.   ડો. રશીદ મીર   ગઝલકારતો ખરાજ  પણ  સાથે  સાથે એક સાચા અર્થમા  ગઝલના  તજજ્ઞ રહ્યા છે. વડોદરાની પ્રેમાનંદ સાહિત્યસભામા દર બુધવારે મળતી નવોદિત અને નીવડેલા  ગઝલકારોની બેઠક ‘બુધસભા’ના  તેઓ પરામર્શક રહ્યા છે. બીજા શબ્દોમા  એમ કહી શકાય કે  ગઝલના છંદ કે મીટર  ના  માર્ગદર્શન  અંગે નવોદિત સર્જકો માટે એક વર્કશોપ  તેઓ વરસોથી   ચલાવી રહ્યા છે. મારા જેવા કેટલાય  નવોદિતો હંમેશા એમની રુબરુમા  ગઝલ વાંચવા નો આગ્રહ રાખે સ્વાભાવિક છે ને ગઝલ વાંચ્ચા પછી   રશીદ સાહેબ  આંખના પલકારે એ શબ્દ  કે એ પંક્તિ પર ધ્યાન દોરતા કે  જેના કારણે ગઝલના લાક્ષણિક પેરામીટરમા  કશુંક ખૂંટતુ કે વધતુ હોય  ત્યારે મીર સાહેબ  ક્ષણના વિલંબ વગર    છંદ, લય, ભાવ,  મીટર બધુ જ યથાવત રહે ને  ગઝલ સંપૂર્ણ  ગઝલ બની રહે એવો પર્યાય શબ્દ મૂકી આપતા  જેના કારણે  ગઝલ સાચા અર્થમા ગઝલ બની શકે.  ડો. રશીદ મીર  ઘણા વરસોથી  ધબક નામના  ત્રિમાસિક  ગઝલમેગેઝિન  ના  માલિક, પ્રકાશક અને તંત્રી છે જેમા નીવડેલા ગઝલકારોની ગઝલો નો આસ્વાદ દેશવિદેશના  ગઝલ રસિકો   કરતા આવ્યાછે. મિત્રો, મારી સાહિત્યસફર  ને મારી સર્જનક્રિયાના   માઇલસ્ટોન સમા  ડો.રશીદ મીર  સાહેબ ની ગઝલને માણીએ………….  

 

             ગઝલ

એક        તારો      અભાવ         છે     તો     છે

જે        નથી    એનો  ભાવ        છે     તો     છે

 

સ્વર્ગ       ને     પણ        તજીને     આવ્યો છું

એ   જ     મારો    સ્વભાવ      છે      તો      છે

 

રાખશો           ક્યાં       સુધી         છુપાવીને ?

પ્રેમનો          હાવભાવ         છે      તો        છે

 

મત્ત    ખુશ્બૂ         પવન          ઉડાડે           છે

ઝુલ્ફનો        એ      પ્રભાવ       છે      તો      છે

 

વ્યક્ત      કરવાનો     દોસ્ત     અર્થ      નથી

આપણો           પ્રેમભાવ         છે       તો       છે

 

‘મીર’        આ       લાગણીને        શું       કહેવું ?

ભાવ       નૈં        તો    વિભાવ     છે     તો    છે

 

    

સંપર્ક : 

ડો. રશીદ મીર

૧૫૫, સબીના પાર્ક,  આજવારોડ

વડોદરા.  390019 

ph.     ૦૨૬૫   ૨૫૬૪૧૭૦

cell  ph.   ૯૪૨૭૩૦૧૫૫૫   

4 comments July 15, 2009

બદલવાથી…. નીરવ વ્યાસ

                                       મિત્રો,   ગુજરાતી બ્લોગની  જે વાચકમિત્રો   નિયમિતરીતે    મુલાકાત લેતા હોય છે  એ વાચકમિત્રો ને   સાહિત્યનો  લગાવ  છે   જ    અને  દરેક પોતાના રસ રુચિ પ્રમાણે  વાંચન સામગ્રી   મેળવીને  માણવાનો   પ્રયત્ન  કરતા હોય છે   ખાસ કરી ને  મારા બ્લોગ   બાબતે    હું  કહુ  તો  મને અંગત રીતે  ગઝલ બાબતે લગાવ અને રુચિ રહેલા છે  સાદા અર્થમા  કહુતો  મને  ગઝલ  માણવી  ગમે છે … મારી સાથેના  સાહિત્યભંડોળમા   જે  હાથવગુ   હોય  છે     અને   મને   ગમતુ હોય એ   અહીં   પ્રકાશિત  કરતો રહ્યો છું   સાથેસાથે    ‘કોપીરાઇટ્સ’  નો   મુદ્દો   પણ   મહત્વ ધરાવે છે  એ કારણસર  પણ   સામગ્રી સીમીત  થઇ  જાય છે   એટલા માટે  ક્યારેક  વાચકો ને   એમ થાય કે આ બ્લોગ પર   ગણ્યાગાંઠ્યા   ગઝલકારોની  ગઝલો જ વાંચવા મળે છે  તો એ વિચાર  સદંતર  ખોટો છે  તમે પણ  જો તમારી લેખન સામગ્રી   [માત્ર  ગીત ગઝલ]    મને  મારા  ઇમેલ પર  મોકલાવશો  તો   મને ગમશે ….. આપ  સર્વ વાચક,   લેખક,   કવિ અને ગઝલકારો નુ   મારા બ્લોગ પર  સ્વાગત કરુ છુ.   મિત્રો   મને કોઇ  પક્ષપાતી  ધોરણે  કે પછી કોઇ ધંધાકીય  રીતથી   ઓળખવાની ભૂલ  ના કરતા…… 

   

                                પામી નહિ  શકશો મને દુનિયાની  રીતથી

  

                              દેખો    અગર તો     દેખજો  પોતાની રીતથી    

             

                        યુવાન ગઝલકાર     નીરવ વ્યાસ   ઉપર લખેલા  શેરનો માલિક છે …. નીરવ વ્યાસ ની  લખેલી ગઝલનો મત્લાનો  શેર જોગાનુજોગ   મારા   ઉપર્યુક્ત  લખાણ ને બંધબેસતુ મળી ગયુ છે  બાકી  મિત્રો  મારી આ  Post     મા  પણ   ‘મને ગમતી  ગઝલો’   અંતર્ગત  આ ગઝલ પણ નીરવની જ છે.  પરંતુ એ પહેલા   નીરવનો   પરિચય આપુ તો … નીરવ પોતે  એડવોકેટ   છે   કાયદાની  આંટીગુટીઓ ની સાથે  નીરવ  શબ્દોની    આંટીગુટી ને પણ  સારીરીતે  સમજી ને ઉકેલી શકે છે..સમકાલીન  ગઝલકારો ની હરોળમા  નીરવ   પોતાની   રજુઆતથી આજકાલ મુશાયરામા પણ સ્થાન જમાવી ચુક્યો છે. ગઝલ બાબતે એ  લાંબી ચર્ચા આધારભૂત   પ્રમાણ  આપી ને   કરી શકે છે.  મારી સાથેની  વાતચીત મા હું   એટલુ જાણી શક્યો છુ કે જનાબ શેખદમ  આબુવાલા  એના આદર્શ   રહ્યા છે.  તો મિત્રો  આવો   નીરવ વ્યાસ ની  ગઝલ ને માણીએ…….. 

  

                                  ગઝલ 
 

ગુમાવી       પણ        શકો       મંજિલ તમે  રસ્તા બદલવાથી   

મળી     પણ       જાય      ઇશ્વર    શક્ય છે મણકાં બદલવાથી 

તપસ્વીનું       બધુંયે      તપ       ફરે     છે        એમની      સાથે 

કશું     પામી     નહીં        શકશો     તમે     જગ્યા   બદલવાથી 

અમોને         ખિન્ન       જોવાની       તડપ   છે    એમને  કહી દો 

ન  ફૂલો    રંગ     બદલે    છે        કદી       દુનિયા    બદલવાથી 

ગુજારી      દીધી      આખી     રાત      એના     એ     પ્રયત્નોમાં 

કદાચિત     ઊંઘ      આવી     પણ    જાય પડખાં બદલવાથી 

બદલવાનું        હતું      ત્યારે     તમે       સહેજે    ન    બદલાયા 

હવે   શું     પામશો       ‘નિરવ’       તમે      હમણાં   બદલવાથી

3 comments June 15, 2009

રાખું છું….કિર્તિકાંત પુરોહિત

        મિત્રો,  ‘મને  ગમતી ગઝલો’   અંતર્ગત  આજે જે ગઝલ રજુ કરવાનો  છુ  એ ગઝલકાર નો પરિચય હું મારા  ‘સાહિત્ય ની સફર’ નામના લેખમા આપી જ ચુક્યો છુ.    ગઝલકાર અને મારા   વડીલમિત્ર  કિર્તિકાંત પુરોહિત …… જેમણે ખૂબ ટૂંકા સમયમા  ગઝલ ને   હાથવગી   કરી  છે …  મિત્રો  જ્યાં સુધી ગઝલ ને લાગેવળગે છે ત્યાં સુધી  એક વાત અંહીયા  કહેવાની મને ગમશે ….  ગુજરાતી  પદ્ય કે કાવ્યનો  એક અને માત્ર એક  ગઝલ એવો પ્રકાર છે જેમા  સર્જક પોતાની આગવી સૂઝ  પ્રમાણે  એ શબ્દો સાથેની   રમત  અને કસરત   ને લયબધ્ધ રીતે આકાર આપી ને એક તંદુરસ્ત  વિચારો ને  આલમ સામે મૂકતો હોય છે  અંહી કાવ્ય ના બીજા પ્રકારો ને  જરા પણ નીચા પાડવા નો ઇરાદો નથી……..હા તો હું વાત  કરી રહ્યો છું   ગઝલકાર  અને મારા વડીલમિત્ર   કિર્તિકાંત પુરોહિતની….  જેમણે   પોતાના અંગત અનુભવો અને  શબ્દભંડોળ ના  આધારે   ગઝલ ને  ખૂબસુરતી  બક્ષી છે.   ગઝલ બાબતે એમનો લગાવ  એટલી હદે  મે જોયો છે …વ્યસ્ત વ્યવસાયિક  માળખા માંથી  પણ એ સમય કાઢી ને  ગઝલ સભામા અચૂક હાજરી આપતા … દોસ્તો,  તમારી જાણ પૂરતુ   કહી દંઉ  કે કિર્તિકાંતભાઇ પોતે એક  સફળ ઈંડ્સ્ટ્રીયાલીસ્ટ છે … સારા ગઝલકાર  તો છે જ  ….સાથે સાથે  એક  સારા મિત્ર પણ..  કારણ  કે  મને તો  ગઝલ   બાબતે સૂચન કરતા અને  સ્વીકારવા જેવી વાત નો સહજતાથી સ્વીકાર પણ  કરતા  …… મને    તેમની ગઝલો  નો મિજાજ    ગમે છે ટૂંકી બહેર મા   પણ   એ  ઘણું  કહેવાની  કુશળતા  ધરાવે છે  જેમકે   ગાગર મા સાગર . ‘મને ગમતી ગઝલો’   માની   એમની એક ગઝલ………………ઘાયલ સાહેબનો  શેર યાદ આવે … 

    લાજના  ભાવ થી  નમી તે ગઝલ

   

    જે પ્રથમ દ્રષ્ટિ  એ ગમી તે  ગઝલ…

                         

                                                                                                                તો ચાલો  મિત્રો  કિર્તિકાંત ભાઇની ગઝલને  માણીએ….. 

 

     ગઝલ   

 

પૂછ     શી   રીતે    પ્યાર   રાખું     છું

ઉલ્ઝનો      બરકરાર     રાખું        છું  

 

હારને     માનવી     કબૂલ     નથી

એટલે        ઈંતઝાર       રાખું       છું     

 

ભીડમાં   ભીંસ   છે   ને ધક્કા  પણ 

દોડવાનું        ધરાર     રાખું        છું  

 

પૂર્વગ્રહ   ફક્ત    સૂર્ય નો જ નથી

ચાંદ    પણ     ઘર બહાર રાખું છું 

 

સાવ     છેલ્લી     કક્ષાએ બેસો ના

હું      કલમની      કટાર     રાખું    છું 

 

ટેરવે     છાપ  ને     બીજી     ઓળખ 

જૂઠનો      ચહેરે  ભાર    રાખુ     છું

 

દોષ તો એમા કિર્તિનો પણ છે 

તે    પછીતે      ય  દ્વાર રાખું     છું  

 

તમારી  કોમેંટ્સ  આ  ઇ મેલ   પર  મોકલો..

purohitkirtikant@yahoo.com

8 comments June 6, 2009

આજે પણ છે…

   મિત્રો,    રોજ મળતા કે ચોક્કસ સમયાંતરે મળતા   પરિચિતો  કે મિત્રો ને ક્યારેક   સહજ ભાવે   અથવા તો વધુ પરિચય કેળવા ના આશય થી પૂછાતા   સવાલ  પૈકી નો  ખૂબજ  સામાન્ય સવાલ   “તમને  શું ગમે  ?” ….. પસંદ નાપસંદ ના આધાર પર આ સવાલનો  જવાબ  નિર્ભર  કરે છે ..   માણસનુ માનસ  જ કુદરતે  એ પ્રકારે ઘડેલુ  છે ને એ હંમેશા રોજ નવા યોગ -પ્રયોગ,  ખતરા-અખતરા, ધારણા-પેંતરા   કરતો હોય છે બસ ખાલી  ગમતુ  મળે અથવા તો ગમતુ થાય એના માટે અને એ પછી……. એ   ખુશી ને  અભિવ્યક્ત કરવાની રીત ચિત્ર વિચિત્ર  હોય છે …. મનુભાઇ ત્રિવેદી  ‘ગાફિલ ’ના  ખૂબ  લોકમોંઢે   બોલાતા  શેર યાદ આવે …….

 

જુદી  જિંદગી  છે  મિજાજે    મિજાજે….જુદી  બંદગી છે નમાજે  નમાજે 

 

 છે એક સમંદર  થયુ  એટલુ   શું  …..જુદા છે મુસાફર   જહાજે જહાજે

 

 જુદા અર્થ છે   શબ્દનાબોલવાપર છે શબ્દોય જુદા અવાજે અવાજે 

  

      સરસ  મોટો પથ્થર જોયા પછી ધોબી ને  તરત કપડા નો વિચાર આવે  સ્વાભાવિક છે  પરંતુ એજ પથ્થર જોયા પછી  કોઇ શિલ્પકારને  એના દિમાગ મા ઉઠતા તરંગો થી બાંધવો મુશ્કેલ જ નહી પણ નામુમકીન છે…..  સ્થળ  સમય અને સંજોગને આધિન સર્જકની માનસિકતા નો પ્રભાવ તેના સર્જન પર પડતો હોય છે……મહામંદી ના ભરડામાથી  પસાર થતા અમેરિકામા મારે  બે વરસ પૂરા થયા ને એ બે વર્ષ મા  સાત વખત  જોબ  બદલવાની હિંમત  મારાજેવો     માથાફરેલ  જ કરીશકે …… કહેનારા   આ પ્રક્રિયાને  અંહકાર  પણ  કહી શકે છે………{મારનાર નો હાથ પકડી શકાય  બોલનાર ની  જીભ ક્યાં પકડી શકાય…… } આ દેશ ની  એકજ  ભાષા છે……[સમજી ગયા ને ]……… યુવા ગઝલકાર અને મિત્ર નીરવ વ્યાસ ની ગઝલ નો એક શેર…..

                                           મારુ કમંડર  સાવ ખાલી  દેખીતી રીતે

                                           તો ય આ  જાહોજલાલી    દેખીતી   રીતે….

     મિત્રો,  વધુ  કાંઇ પણ કહ્યા વગર  મારી લખેલી તરોતાજા નવી ગઝલ  આપની  આગળ  રજુ કરુ છુ … …. અમેરિકા ની  ભાષામા  કહું તો……….. I hope  you will enjoy this……… 

 

 

                             ગઝલ 

              

 

                     જે  હતી  બસ  એ  જ  ખુમારી  આજે પણ છે                     

                     ઠાઠ,    વૈભવ   એ જ   નવાબી  આજે પણ છે 

 

                     ના હતી  ફરિયાદ  કશી  ના નફરત  તો પણ 

                     લાગણી   અકબંધ      અમારી   આજે  પણ  છે 

IMG 

 

                 રેત ની  ભીંનાશ ,  પડ્યા  પગલા ને  દરિયો 

                ભીંતરે    સંઘરેલ     સુનામી     આજે   પણ  છે  

images 

 

                 તું   મને   સમજાવ    હવે    મારે   શું    કરવું 

               વાત   મારી     એ  જ પુરાની  આજે  પણ  છે 

 

                  લે  હવે  તો   માનવું   પડશે  ‘સ્પંદન’   તારે 

                  ગુપ્ત   તાક્ત   કોઇ  અજાણી  આજે પણ  છે  

 

ઉપર નુ  picture  મારા  ફેમેલી આલ્બમ માથી  લીધેલુ છે. ફોટો

મારા દિકરાનો છે  જેની આજે ઉંમર   19th   વર્ષની  છે….સ્થળ : જુહુ બીચ

મુંબઇ   : ફોટોગ્રાફી  મારી પોતાની….

7 comments June 3, 2009

અકસ્માત રોજ થાય નહી

મિત્રો, જ્યારે કવિતા,  ગઝલ,  રચના [આ બધા પદ્ય કે કાવ્ય સાહિત્ય ના પ્રકાર છે]  આવુ કશું પણ જાણતો ન હતો….  મારી સર્જન (પ્ર)ક્રિયા ના શરુઆત ના તબ્બકામા  રોજબરોજની  બનતી  વ્યવસાયિક   સામાજિક  ઘટનાઓ    કે  પછી  ગલી-નુક્કડ નાકે  મિત્રો સાથે સાવ ‘બેફીજુલ’ કરેલી જે તે સમયની  મસ્તી, રખડપટ્ટી  કે ચર્ચા ના કારણે  દિમાગમા ઉઠેલા  “કેમિકલ લોચા”   (લગે રહો મુન્નાભાઇ)  ના કારણે.. એ જે હોય તે પણ   વિચારો ને  કાવ્યાત્મક ઢબે   વેગ આપવાના શૂરાતન ના ભાગ રુપે  જે આવડ્યુ   જે લખાયુ  જેમ ગોઠવાયુ..  સાદી ભાષા મા  કહેવુ હોય તો…    ગ    ફ     મ    …. બસ લખતો ગયો… પછી ની વાતો  તો હુ આગળ  મારી “સાહિત્યની સફર”  નામના લેખ મા લખી ચુક્યો છું.. ખેર ..મારી એ પૈકી ની એક  રચના……………..    

  

 અકસ્માત     રોજ   થતા  નથી   હોતા 

જે રોજ  થાય તે અકસ્માત  નથી  હોતા  

 

ભેખ  ધરી  લૈ  લાઠી   હાથ મા  તિરંગો 

ખાદી પે’રનારા  બધા  ગાંધી નથી હોતા

 

ભીડ  તો   હડેડ  જામે  છે  મંદિરો  મહી 

આવનારા  બધા  દર્શનાર્થી  નથી  હોતા 

 

ઘણુ  પસ્તાયો  હશે બનાવી ને  ‘એ’ પણ

કાળા માથા ના બધા માનવી  નથી હોતા 

2 comments April 1, 2009

Previous Posts


Recent Posts

Top Posts

Meta

Categories

Recent Comments

Pages

1356

ગમતી ગુજરાતી વેબસાઇટો

Newspaper

Archives

 

November 2009
M T W T F S S
« Oct    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

Blog Stats

Top Clicks

© અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain.